રાજકોટ
News of Thursday, 23rd June 2022

લોહાણા પરામાં દુકાનના ઓટા પર બેભાન થયા બાદ વાંકાનેરના ફિરોઝભાઇનું મોત

રાજકોટ તા.ર૩ : લોહાણા પરા મેઇન રોડ પર આવેલ એક દુકાનના ઓટા ઉપર વાંકાનેરના વૃધ્‍ધનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ વાંકાનેરના વોરાવાડ શેરી નં. પમાં રહેતા ફિરોઝભાઇ નુરમહંમદભાઇ જાદવાણી (ઉ.૬૬) ગઇકાલે રાજકોટ લોહાણા પરા મેઇન રોડ પર ગોપાલ મેટલ નામની દુકાનના ઓટા પર બેભાન હાલતમાં પડેલ હોઇ, કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્‍ધનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા એડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. રવીભાઇ વાઘેલા તથા રાઇટર રાણાભાઇએ  તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)