News of Thursday, 23rd June 2022
શ્યામલાલજીની હવેલીમાં કાલથી બુધવાર સુધી મનોરથ
રાજકોટઃ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમા શ્રી શ્યામલાલજી પ્રભુ કાલે તા.૨૪ના શુક્રવારના એકાદશીથી તા.૨૯ બુધવાર સુધી સાંજે ૬:૩૦ થી ૭:૩૦ કલાકે પ્રભુના નાવ મનોરથની ઝાખી તેમજ સાંજે ૬ થી ૭:૩૦ સુધી કિર્તન રાખેલ છે. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રભુના નાવ – મનોરથનો અલોકીક લાભ લેવા મુખિયાજી શ્રી જયેશભાઈ હરિદાસભાઈ તરફથી નિમંત્રણ છે.
(4:37 pm IST)