રાજકોટ
News of Thursday, 23rd June 2022

પ્રોજેકટ લાઇફ દ્વારા અનેક સ્થળે યોગાભ્યાસ

વિશ્વ યોગ દિવસ નિમિતે પ્રોજેકટ લાઇફ દ્વારા લાઇફ બિલ્ડીંગ રેસકોર્ષ ખાતે તેમજ અન્ય સ્થળો પર યોગાભ્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બેંક, દુરદર્શન, જીએસટી ભવન સહીતના કર્મચારીઓ, ડોકટરો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થી ભાઇ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૧૦૦૦ થી વધુ લોકો લાભાન્વીત થયા હતા. જેમાં યોગ શિક્ષકો રાજીવ મિશ્રા, અભિષેક દ્વીવેદી, જસ્મીન પંચાસરા, સેજલ દરજી, સકીના ભારમલે યોગ પ્રશિક્ષણની સેવા આપી હતી. દરમિયાન આગામી તા. ૪ થી ૯ જુલાઇ સુધી લાઇફ સેન્ટર દ્વારા કેવલ્યધામ યોગ સંસ્થાન લોનાવાલાના પ્રિન્સીપાલ ડો. શરદચંદ્ર ભાલકરની ઉપસ્થિતીમાં યોગ એન્ડ અને હેલ્થ વિષે શીબીર યોજવામાં આવી છે. જોડાવા ઇચ્છુકોએ મો.૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:36 pm IST)