News of Thursday, 23rd June 2022
જનજાગૃતિ એજયુકેશન ટ્રસ્ટની રજુઆત સફળ : આરટીઇનો ચોથો રાઉન્ડ જાહેર
રાજકોટ તા. ૨૩ : રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ગરીબ સાધારણ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વંચિત રહી ગયેલાઓને લાભ મળે તે માટે જનજાગૃતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રી સહીત સંબધિત અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
ત્યારે આ રજુઆત ધ્યાને લઇ આર.ટી.ઇ. પ્રવેશ માટે ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત મેળવી હોવાનું જનજાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઇ રૂપાપરા, ઉપપ્રમુખ મનીષ સથવારા, અશોકભાઇ પદમાણી, નરેન્દ્રભાઇ પટેલ, દિનેશભાઇ ચાવડાએ એક સંયુકત યાદીમાં જણાવેલ છે. સાથો સાથ હકારાત્મક વલણ અપનાવનાર સૌકોઇનો આભાર વ્યકત કરેલ છે.
(3:36 pm IST)