રાજકોટ
News of Thursday, 23rd June 2022

વૃક્ષારોપણ

શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ આશીર્વાદ સ્કૂલ દ્વારા આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વિરેન્દ્રભાઇ પટેલ દ્વારા બાળકોને વૃક્ષથી થતા ફાયદા વિેશે તેમજ પર્યાવરણ શુધ્ધિકરણમાં વૃક્ષ કેટલુ ઉપયોગી છે તેના વિશે માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમમાં વોર્ડ નં. ૩ના કોર્પોરેટર ટીકુભા તથા બાબુભાઇ ઉધરેજીયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(4:17 pm IST)