News of Friday, 24th June 2022
ભગવતીપરાના સફાઇ કામદાર હીરાબેન વાઘેલાનું બેભાન હાલતમાં મોત
રાજકોટ તા. ૨૪: ભગવતીપરા સુખસાગર સોસાયટી-૬માં અમૃત વીલા એપાર્ટમેન્ટમાં રહેતાં હીરાબેન વિનોદભાઇ વાઘેલા (ઉ.૫૯) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. હીરાબેન આરએમસીના સફાઇ કામદાર તરીકે વોર્ડ નં. ૭-ડીમાં ફરજ બજાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દોઢેક મહિનાથી તેઓ બિમાર હતાં અને ગત રાતે બેભાન થઇ જતાં મૃત્યુ થયું હતું.
(12:18 pm IST)