શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોના માર્ગદર્શન અર્થે બેઠક
રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતા તેમજ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમાં કમલેશ મિરાણીએ ઇ-ચિંતન અભ્યાસ વર્ગ, ગુરૂપૂર્ણીમાં ઉજવણી અંગે તેમજ રવિવારે યોજાનાર 'મન કી બાત' કાર્યક્રમ અને સોમવારે ગરીબ કલ્યાણ અન્ન યોજના તળે લાભાર્થીઓને બેગ વિતરણના કાર્યક્રમો અંગે માહીતી રજુ કરી હતી. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે માનવ ગરીમા યોજના અંગે માર્ગદર્શન આપેલ. બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડે કરેલ. સાંધિક ગીત કાથડભાઇ ડાંગરે કરેલ. બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ સંભાળી હતી.