રાજકોટ
News of Saturday, 24th July 2021

કાલે તમામ વોર્ડના શકિત કેન્દ્રો પર નરેન્દ્રભાઇ 'મન કી બાત' નો કાર્યક્રમ

રાજકોટ, તા. ર૪ : દર માસના અંતિમ રવિવારે નરેન્દ્રભાઇ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે. પસંદ કરેલા વિચારને આ કાર્યક્રમાં સામેલ કરવામાં આવે છે. 'મન કી બાત'નું આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દૂરદર્શન સમાચારની યુ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડ ના શકિતકેન્દ્રો પર આવતીકાલે તા. રપ ના માસના છેલ્લા રવિવારે સવારે ૧૧ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ 'મન કી બાત' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના તમામ શકિત કેન્દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જાહેર અનુરોધ કર્યો છે. 

(3:42 pm IST)