રાજકોટ
News of Tuesday, 24th November 2020

સિંહ આવી જશે એવા ભયથી ભુલથી ઝેરી દવાવાળા ડબલાથી અરવિંદે પાણી પી લીધું

રાજકોટ તા. ૨૪: માણાવદરના ભિંતાણા ગામનો યુવાન અરવિંદ આણંદભાઇ ચાવડા માળીયા હાટીના પાસેના વિરડી ગામે હરિભાઇની વાડીમાં કામ કરતો હોઇ સાંજના સમયે વાડીના શેઢે પાણી પીવા ઉભો હતો ત્યારે સિંહ આવી જશે એવા ભયને કારણે ભુલથી ઝેરી દવાવાળા ડબલાથી પાણી પી લેતાં બાદમાં ઉલ્ટીઓ થવા માંડતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. ચોકીના સ્ટાફે માળીયા હાટીના પોલીસને જાણ કરી હતી.

(1:26 pm IST)