રાજકોટ
News of Thursday, 24th November 2022

ગોંડલમાં વેપારીના બંધ મકાનમાંથી ર.પ૬ લાખની ચોરીઃ ૪ પડોશીઓ સામે ફરીયાદ

રાજકોટ, તા. ર૪ : ગોંડલમાં વેપારીના બંધ મકાનમાંથી ર.પ૬ લાખની મતા ૪ પડોશીઓ ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ગુંદાળા શેરીમાં બરકાતી મંજીલમાં રહેતા વેપારી તોફીકભાઇ મજીદભાઇ તૈલીએ પડોશી દાઉદ યાકુબભાઇ દયાળા, મહંમદહુશેન ખાલીદભાઇ દયાળા, સીબતેન શબ્‍બીર મીઠાણી તથા કયુમ અનીશભાઇ ડબ્‍બાવાલા રે.ગુંદાળા શેરી ગોંડલ સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ઉકત આરોપીઓએ ફરીયાદીની ઘરની અગાશી ટપી ફરીયાદીના ઘરમાં પ્રવેશી રૂમનું બારણુ તોડી કબાટમાં પડેલ સોના-ચાંદીના દાગીના કિ. ૧.૮૬ લાખ તથા રોકડા રૂા. ૭૦,૦૦૦ મળી કુલ ર.પ૬ લાખની મતા ચોરી કરી ગયા હતા.

ફરીયાદી વેપારીના પુત્ર અને પુત્રીના લગ્ન હોય બંધ મકાનમાંથી ઉકત પડોશીઓ હાથફેરો કરી ગયાનું જણાવ્‍યું હતું. આ બનાવ અંગે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરાયો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. જે.એમ. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:39 am IST)