સરસ્વતીનગરમાં નંદુબેન દુલેરાનો ગળાફાંસો ખાઇ આપઘાત
પરિવારજનોએ મહિલાને લટકતા જોઇ દેકારો મચાવ્યો
રાજકોટ, તા. ર૪ : દોઢ સો ફૂટ રીંગ રોડ પર ફોચ્યુન હોટલની પાછળ સરસ્વતીનગરમાં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ સરસ્વતીનગર શેરી નં. ૮માં રહેતા નંદુબેન દેવજીભાઇ દુલેરા (ઉ.વ.પ૦) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેને લટકતા જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમ સ્થળે પર પહોંચી ઇએમટી પાયલબેન મહેતા અને પાયલોટ યશરાજસિંહ જાડેજાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા નંદુબેનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા તાલુકા પોલીસ મથકના હડ કોન્સ. જે.એમ. ચુડાસમા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક નંદુબેન અપરણીત હતા તે તેના ભત્રીજા સાથે રહેતા હતા તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.