રાજકોટ
News of Thursday, 24th November 2022

દશનામ ગોસ્‍વામી સમાજના શનિવારે શાહી સમુહલગ્ન

અતિત નવનિર્માણ સેના અને શિવ શોભાયાત્રા સમિતિ દ્વારા : વર-કન્‍યાનું બગીમાં સામૈયુ નિકળશે, કરીયાવરમાં દીકરીઓને ૧૧૧થી વધુ વસ્‍તુઓ અપાશેઃ સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ : શ્રી દશનામ ગોસ્‍વામી સમાજ અતિત નવનિર્માણ સેના તથા શિવ શોભાયાત્રા સમિતિ દ્વારા શાહી રજવાડી અને જાજરમાન પ્રથમ સમુહલગ્નોત્‍સવ તા.૨૬ શનિવારના રોજ પારિજાત પાર્ટી પ્‍લોટ શીતલ પાર્ક બીઆરટીએસ બસ સ્‍ટોપ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે પ્રથમ વખત સારામાં સારા સમૂહલગ્નોત્‍સવ કરવાનું પ્રયાસ કરેલ છે. જેમાં બપોરે ૪ વાગ્‍યે સંતો મહંતોની હાજરીમાં બેન્‍ડ વાજા સાથે વરરાજાનું  ઘોડી ઉપર અને કન્‍યાઓનું શાહી બગીમાં સામૈયુ નિકળશે. ત્‍યારબાદ લગ્ન હિન્‍દુ શાષાોકત વિધી અનુસંધાન મિલનભાઈ શાષાી આચાર્ય પદેથી લગ્ન વિધી કરાવશે.  ૧૧ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે.

આ શાહી સમુહલગ્નમાં કરીયાવરમાં દીકરીઓને દાતાઓના સહયોગથી અઢી લાખની કિંમતની ૧૧૧થી વસ્‍તુઓ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સંતશ્રી હસમુખગિરિ જયંતગિરી (હસુબાપુ)ના માર્ગદર્શન હેઠળ સંજયગીરી ગોસ્‍વામી મો.૯૮૨૪૨ ૪૦૯૦૮, રાજેશગિરિ ગોસ્‍વામી, હસમુખગિરિ ગોસ્‍વામી, નિલેશભારથી ગોસ્‍વામી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ વિગત માટે મો.૯૮૭૦૦ ૧૭૬૬૫, મો.૯૯૨૪૫ ૯૫૫૯૯ ઉપર સંપર્ક કરવો. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)