રાજકોટ
News of Wednesday, 25th January 2023

સિંચાઇ ખાતાના નિવૃત અધિકારી પ્રફુલભાઇ સોલંકીનું મૃત્‍યુ

રાત્રે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ રેલનગરમાં રહેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫ : રેલનગર શ્રીનાથજી પાર્ક-૨ બ્‍લોક નં. ૨૧માં રહેતાં પ્રફુલભાઇ વજેસિંહભાઇ સોલંકી (ઉ.વ.૬૦) રાત્રીના ત્રણેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે પ્ર.નગરમાં જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર પ્રફુલભાઇ સોલંકી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં અને અગાઉ સિંચાઇ વ્‍ભિાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં. તેમ તેમના સ્‍વજનોએ જણાવ્‍યું હતું. હાર્ટએટેક આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

(11:39 am IST)