રાજકોટ
News of Wednesday, 25th January 2023

વિજયભાઇએ બેનમૂન કામ કર્યુ છે, તેને રાજકોટના લોકો ભૂલશે નહિઃ ઉદય કાનગડ

પૂજિત રૃપાણી ટ્રસ્ટ દ્વારા નાક, કાન, ગળાના કેમ્પ - શ્રવણયંત્ર વિતરણ

રાજકોટ, તા.૨૫: શ્રી પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુકત ઉપક્રમે કિલ્લોલ, ૧-મયુરનગર, મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન સામે આવેલ ટ્રસ્ટના ભવન ખાતે વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા કાન-નાક-ગળાનો નિદાન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં રાજકોટ-૬૮ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ ઉદઘાટક તરીકે તથા દાતાશ્રી ગીતાબા ઝાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકોટના નામાંકીત ડોકટરો સર્વશ્રી ડો.સુનિલભાઇ મોદી, ડો.જતિનભાઇ મોદી, ડો.નિરવભાઇ મોદી, ડો.દર્શનભાઇ ભટ્ટ (વટીંગો નિષ્ણાત) ડો.વિમલભાઇ હેમાણી તથા ડો.વૈભવભાઇ હાપલિયાએ ઉપસ્થિત રહી સેવા આપી હતી.

શ્રી ઉદયભાઇ કાનગડ જણાવ્યુ હતુ કે ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઇ રૃપાણીએ હમેંશા નાનામાં નાના માણસ અને છેવાડાના માનવીને લક્ષમાં રાખીને જ કામ કર્યુછે. આ ટ્રસ્ટે ૧૩ જેટલા માનવતાલક્ષ પ્રકલ્પો દ્વારા સેવાનું મોટુ વટવૃક્ષ નિર્માણ કરેલ છે પ્રત્યેક સેવાકીય પ્રોજેકટમાં વિજયભાઇની સંવેદનાના દર્શન થાય છે. એક રાજકીય આગેવાન તરીકે રાજકોટ માટે બેનમૂન કામગીરી કરી છે. રાજકોટના પ્રજાજનો વિજયભાઇને કદી ભૂલી શકશે નહીં.

સ્વાગત પ્રવચન તબીબી કટિીના ડો.નયનભાઇ શાહે કર્યુ હતુ. ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૃપાણી, મહેશભાઇ ભટ્ટ તથા કમિટી મેમ્બર દિવ્યેશભાઇ પટેલ, બીપીનભાઇ વસા કાર્યકર્તા શ્રી રાજુભાઇ શેઠ, હરેશભાઇ ચાંચિયા, જીજ્ઞેશભાઇ રત્નોતર વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ વગેરે દ્વારા ઉપસ્થિત મહાનુભવો અને ડોકટરોનું સ્વાગત કરવામાં આવેલ હતું.

શ્રી ઉદયભાઇ કાનગડ, ડો.સુનિલભાઇ મોદી અને ગીતાબા ઝાલા તથા ડો.નિરવભાઇ મોદીનું ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૃપાણી અને મેડિકલ કમિટીના સભ્યો દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ હતું. ઉદઘાટન સમારોહનું સંચાલન કાર્યકર્તા શ્રી હસુભાઇ ગણાત્રાએ અને આભારવિધિ શ્રી અમીનેશભાઇ રૃપાણીએ કરી હતી. આજના કેમ્પમાં ૬ ડોકટર્સની પેનલે ૨૧૧ દર્દીઓને તપાસી અને તેમાંથી ૧૦૦ દર્દીઓને વિનામૂલ્યે શ્રવણ યંત્ર આપવામાં આવ્યા હતા.

દર્દીઓને શ્રવણ યંત્ર લગાડતા જ તેઓ સાંભળતા થઇ જઇને ભાવ વિભોર થઇ ગયા હતા.

કેમ્પમાં રોટરી કલબના શ્રી અશ્વિનભાઇ કામદાર, દિનેશભાઇ જીવરાજાની, અનિલભાઇ જસાણી, ડો.કેતનભાઇ ઠક્કર, ડો.ભાવેશભાઇ શાહ, બાનુબેન ધકાણ ઉપરાંત ટ્રસ્ટના શુભેચ્છક ઉલ્કાબેન બક્ષી, કિરણબેન શાહ, મોહિની કુવરબા જાડેજા, જાનવીબેન લાખાણી, શૈલેષભાઇ લોટીયા, મુકેશભાઇ મહેતા, જયોતિબેન મહેતા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પને સફળ કરવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૃપાણી, ડો.મેહુલભાઇ રૃપાણી, મહેશભાઇ ભટ્ટ તથા અમીનેશભાઇ રૃપાણી, માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ કિશોરભાઇ ગમારા, હરીશભાઇ ચાચીયા, રાજુભાઇ શેઠ, હસુભાઇ ગણાત્રા વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, કોર્ડીનેટર સાગરભાઇ પાટીલ, તથા કર્મચારીઓ શીતલબા ઝાલા, ડો.મીનલબેન ત્રિવેદી, ડો.ગઢિયા દ્રષ્ટિ, ડો.રાજાણી માનસી, ડો.ડોબરીયા નેન્સી, ડો.ગોટી નિવા, ડો.દેવડા સેજલ, ડો.જસ્મિતાબેન ચાવડા, ધાનીબેન મકવાણા, નેહાબેન સોલંકી, જાનકીબેન રામાણી, ભગવતીબેન કુંઢીયા, પ્રવીણભાઇ ખોખર, અનુભાઇ રાવલ, જયેશભાઇ ધોકિયા, કાંતિભાઇ નિરંજની, સકીનાબેન અજમેરી, હંસાબેન વગેરેએ ઉઠાવેલ હતી.

(3:59 pm IST)