દાઉદી વ્હોરા સમાજ દ્વારા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ.કમિશ્નર અમિત અરોરાનું સ્વાગત
રાજકોટઃ શહેરના નવનિયુકત રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ તથા રાજકોટ મહાનગર પાલિકાના મ્યુ.કમિશ્નરશ્રી અમિત અરોરાનું દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સાહે (ત.ઉ.શ.) દ્વારા દુઆ સાથે શાલ ઓઢાડીને હાર્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર દ્વારા અપાતી વેકિસનેશન અંગે જણાવ્યું કે દાઉદી વ્હોરા સમાજના લોકો તા.૧૯ જુલાઈ સુધી દરેકે દરેક વેકિસનેશન રસી લઈ લેશે. આ માટે કેમ્પો કરેલ છે. અને હજી કેમ્પો કરવામાં આવી રહ્યા છે. આ અફસરો રાજકોટ જીલ્લા તથા શહેરનો વધુને વધુ વિકાસ કરો તેવી દુઆ કરેલ હતી. આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના યુસુફઅલી જોહર કાર્ડસવાલા, શાકીરભાઈ સાદીકોટ, અસગરભાઈ વંથલીવાલા, અબ્બાસભાઈ ત્રવાડી, જુઝરભાઈ ભારમલ, જાબીરભાઈ લોટીયાએ સ્વાગત કરેલ હતું.