રાજકોટ
News of Friday, 25th September 2020

વિદ્યાનગર મેઇન રોડની ન્યુ ચિરાયુ કોવીડ હોસ્પીટલ સામે બે દર્દીની વધુ પૈસા અંગે કલેકટરમાં ફરીયાદ

મૌખીક ફરીયાદ કરી હોય દર્દીના સગાઓને સાંજે બોલાવતા સીટી પ્રાંત-૧

રાજકોટ તા. રપઃ શહેરની ખાનગી કોવીડ હોસ્પીટલોમાંથી ઘણી ખરી હોસ્પીટલ કોરોના દર્દીઓ પાસેથી વધુ પૈસા પડાવતી હોવાની વ્યાપક ફરીયાદો છે. આ સંદર્ભે સીટી પ્રાંત-૧ શ્રી ગઢવી દરરોજ દર્દી-હોસ્પીટલના સંચાલકોને નોટીસો પાઠવી દર્દીઓને માટે કાર્યવાહી કરી રહ્યા છે.

આજે વિદ્યાનગર મેઇન રોડ ઉપર ઉભી થયેલ ન્યુ ચિરાયુ કોવીડ હોસ્પીટલ સામે બે દર્દીએ વિવિધ પ્રકારના વધુ નાણા લીધાની મૌખીક ફરીયાદ સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવી સમક્ષ કરતા તપાસ હાથ ધરાઇ છે.

શ્રી ગઢવીએ દર્દીઓના સગાઓને સાંજે બોલાવ્યા છે, અને લેખીતમાં ફરીયાદ આપવા તથા જે જે પ્રકારે નાણા લીધા હોય તેની તમામ વિગતો આપવા પણ જણાવ્યું છે.

(3:40 pm IST)