હેમન્તકુમારની ૩૨મી પુણ્યતિથી નિમિત્તે કાલે 'યાદ કીયા દિલને કહા હો તુમ' મ્યુઝિકલ કાર્યક્રમ
હેમન્તકુમાર તથા તલતમહેમુદ સાહેબના સુમધૂર ગીતો ગુંજશે : સુનિલ શાહ, મનસુરઅલી ત્રિવેદી, હીના કોટડીયા, ગીતા ભટ્ટ, જીજ્ઞા નંદાણી પોતાના અવાજનો જાદુ પાથરશે
રાજકોટ તા. ૨૫ : મહાન સંગીતકાર - ગાયક સ્વ. હેમન્તકુમાર સાહેબની ૩૨મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે તા. ૨૬-૯-૨૦૨૧ને રવિવારે મણીયાર હોલ રાજકોટ ખાતે સાંજે ૬.૩૦ કલાકથી 'યાદ કીયા દિલને કહા હો તુમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મ્યુઝીકલ કાર્યક્રમમાં પ્રમુખ કલાકાર સુનિલ શાહ (વોઇસ ઓફ હેમન્તકુમાર), મનસુરઅલી ત્રિવેદી (વોઇસ ઓફ તલતમહેમુદ) સાથે હીના કોટડીયા, ગીતા ભટ્ટ, જીજ્ઞા નંદાણી શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં હેમન્દાના સુમધુર ગીતો ઉપરાંત મખમલી ગાયક સ્વ. તલતમહેમુદ સાહેબ અને સાથી કલાકારો ગીતા દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરશે.
આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ કિરીટ જોષી સેવા આપશે. મેલોડી કલર્સ સંગીત પીરસનાર છે.
આ કાર્યક્રમમાં અતિથીવિશેષ તરીકે ગુણવંતભાઇ ડેલાવાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કોરોના ગાઇડલાઇનના પાલન સાથે યોજાનાર આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે પહેલા આગળની ત્રણ રો છોડીને બેસવા લોકોને અપીલ થઇ છે.