૨૮ નવેમ્બરની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ
રાજકોટ, તા., ૨૫: પヘમિ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ સેક્શન માં આવેલ સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (DFCCIL) વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO) કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. જેમાં રદ કરાયેલી ટ્રેનોમાં તા. ૨૭.૧૧.૨૦૨૨ની ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે. ૨૮.૧૧.૨૦૨૨ની ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.