કાલે રાજયસ્તરીય પ્રબોધ મહાસંમેલન
રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા, ભારત મુકિત મોર્ચા, બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા વામન મેશ્રામ વકતવ્ય આપશેઃ જાહેર જનતાને આમંત્રણ
રાજકોટ તા.૨૬ રાષ્ટ્રીય પરિવર્તન મોરચા (સામાજીક), ભારત મુકિત મોરચા તેમજ બહુજન ક્રાંતિ મોરચાના સંયુકત ઉપક્રમે મહાનાયક/ મહાનાયિકાઓની સામૂહિક જયંતી અંતર્ગત રાજય સ્તરિય પ્રબોધન મહાસંમેલન આવતીકાલે તા. ૨૭ને શુક્રવારે સાંજે ૫થી ૧૦ વાગ્યા સુધી અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબિલી ગાર્ડન, ત્રિકોણ બાગ પાસે રાજકોટ ખાતે યોજાવા જઇ રહ્યું છે.
આ સંમેલનનું ઉદઘાટન મા.જીજ્ઞેશ કાલાવડિયા (રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ) દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે વામન મેશ્રામ (રાષ્ટ્રીય સંયોજક, રાષ્ટ્રીય પરિવર્તન મોરચા સામાજિક ન્યુ દિલ્લી) મને ભણેલા ગણેલા લોકોએે દગો આપ્યો, જાતિ જાગૃતિ છેવટે બ્રાહ્મણવાદનો ભાવિક બનશે. વિષે વકતવ્ય આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમસીંગ રાહુલ, પ્રવિણભાઇ પરમાર, કાનજીભાઇ પરમાર, પ્રકાશ સિંધવ, એઙનરેન્દ્ર અઘેરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજનમાં ભારતીય વિદ્યાર્થી મોરચા– શહેર પ્રમુખ– નિશાંત ભોજાણી ૯૦૩૩૪ ૧૩૩૧૪, ભારતીય યુવા મોરચા–શહેર પ્રમુખ –ભીમજીભાઇ સિંધવ, રાષ્ટ્રીય મુળનિવાસી મહિલા સંઘ– શહેર પ્રમુખ–હેતલબેન ચાવડા–૯૭૩૭૩ ૪૩૨૧૫, બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક–શહેર પ્રમુખ– વિનય સાગર અનિત્ય–૭૪૦૫૮ ૫૪૧૦૦, ભારત મુકિત મોરચા–જિલ્લા પ્રમુખ–રાજુભાઇ પરમાર, ભારતીય બેરોજગાર મોરચો–જિલ્લા પ્રમુખ–હિરેન પરમાર, રાષ્ટ્રીય કિસાન મોરચા–શહેરના પ્રમુખ–કરશનભાઇ પરમાર–૯૪૨૮૦ ૩૫૦૭૯, રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા–યુનુસ સપા અને યુવા ભીમ સેના– રાષ્ટ્રીય અધ્યક્ષ – ડી.ડી.સોલંકી ૯૦૯૯૫ ૦૯૬૬૧ જોડાયા છે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને આમંત્રણ અપાયુું છે. (૪૦.૬)