News of Friday, 26th May 2023
મનપામાં ૨૧ સફાઇ કામદારોને નોકરીના ઓર્ડર અપાયા
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ૨૧ સફાઈ કામદારો પૈકી ફિક્સ પગારમાંથી કાયમી થતા ૩, રોજમદારમાંથી કાયમી ૧, સ્વૈચ્છિક નિવળત્તિ વારસદાર ૮, ચાલુ ફરજે અવસાન પામેલ સફાઈ કામદારોના વારસદાર ૭ ને નોકરીના ઓર્ડર તેમજ સ્વૈચ્છિક નિવળત્ત થયેલ સફાઈ કામદારોને નિવળત્તિના ઓર્ડર મેયર ડૉ. પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાના વરદ હસ્તે આપવામાં આવેલ. આ ઉપરાંત આ પ્રસંગે વાલ્મીકી સમાજના અગ્રણીઓ મુકેશભાઈ પરમાર, ગિરધરભાઈ વાઘેલા, જયેશભાઈ ઘાવરી, ગૌતમભાઈ ચૌહાણ, દિલીપભાઈ વાઘેલા, કપિલભાઈ વાઘેલા, દિનેશભાઈ ગોહેલ, રામભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:40 pm IST)