ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં ૧૮ વર્ષની મમતાએ ગળાફાંસો ખાઇ મોત મેળવ્યું
બાથરૂમમાં જઇ પગલુ ભર્યુઃ મુળ રાજસ્થાનના પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૨૬: જામનગર રોડ પર ઘંટેશ્વર દરગાહ નજીક ૨૫ વારીયામાં રહેતી મમતા સુભાષ ભાટી (ઉ.વ.૧૮) નામની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મમતાએ બાથરૂમમાં જઇ ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેણીને મૃત જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. આ પરિવાર મુળ રાજસ્થાનનો વતની છે. પિતા કલરકામ કરે છે. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
હિરેનભાઇને શ્વાસમાં બ્લીચીંગ પાવડર ચડી ગયો
નાના મવા રોડ શ્યામનગર-૩માં રહેતો હિરેનભાઇ સુરેશભાઇ મકવાણા (ઉ.૪૦) રઘુવીરપરા-૬માં જય સિયારામ સેવા ટ્રસ્ટના કાર્યાલયમાંહતાં ત્યારે શ્વાસમાં બ્લીચીંગ પાવડર ચડી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.