News of Friday, 26th May 2023
વેરા શાખા ત્રાટકીઃ ૧ નળ કટઃ ર૦ મિલ્કતો સીલઃ ૧૮ ને જપ્તી નોટીસ
રાજકોટ, તા. ર૬ : મનપાની વેરા શાખાએ મિલ્કત વેરા બાકીદારો ઉપર ઘોંસ બોલાવી છે. આજે અડધા દિવસમાં શહેરના ૮૦ ફૂટ રોડ, ભારતીનગર, ૧પ૦ ફૂટ રીંગ રોડ, રેસકોર્ષ રોડ, કુવાડવા રોડ, રૈયા રોડ, નાના મૌવા રોડ, યુનિ. રોડ, ગાંધીગ્રામ, સાધુવાસવાણી રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ૧ નળ કપાત કરાયેલ. ર૦ મિલ્કતોને સીલ કરી ૧૮ ને જપ્ત નોટીસ આપવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન ર.૧૬ કરોડની વસુલાત કરવામાં આવી હતી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
(4:47 pm IST)