News of Monday, 26th September 2022
કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ
રાજકોટ તા. ર૬ :.. કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબી ચોક ખાતે માતાજીનું સ્થાપન, નાની-મોટી બાળાઓના પ્રાચીન રાસો, બાળકોના રાસો રજૂ કરાશે. મુખ્ય રાસો દાંડીયા રાસ, ચોકડી રાસ, મંજીરા રાસ, કોયણી રાસ, કરતાલ રાસ, બાદશાહ રાસ, શાસ્ત્રીય નૃત્યુ, ડબલ ઉલારીયો, શિવલહેરી રાસ, હુંડો, છંદ, ટીપ્પણી રાસ, મીકસ દાંડીયા રાસ, મોર બની થનગનાટ રાસ, મોગલમાંનો રાસ, રજૂ કરવામાં આવશે.
પ્રમુખ અનોપસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, અશોકભાઇ ચૌહાણ, પ્રવિણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુન્નાભાઇ, મનોજભાઇ, જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:15 pm IST)