News of Monday, 26th September 2022
આચાર સંહિતા લાગે તે પહેલા ઉપલાકાંઠાની
લાયબ્રેરી ખુલ્લી મુકોઃ મુકેશ રાદડીયા
રાજકોટ,તા. ૨૬ : શહેરના ઉપલા કાંઠે વોર્ડ નં. ૬ના અતિ આધુનિક લાઇબ્રેરી બનીને તૈયાર થઇ ગયેલ હોય આગામી વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા લાઇબ્રેરીનું લોકાર્પણ કરવા પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયાએ માંગણી ઉઠાવી છે. હાલ ઉપલા કાંઠાના વિદ્યાર્થીઓ દૂર આવેલી લાઇબ્રેરીમાં વાંચન માટે જતા હોય તો વોર્ડ નં.૬ની લાઇબ્રેરી ચાલુ થઇ જાય તો વિદ્યાર્થીઓને તેમજ સીનીયર સીટીઝનોને ઘણી રાહત મળશે. તેમ અંતમાં શ્રી રાદડીયાએ જણાવ્યું છે.
(3:41 pm IST)