ચેક રિટર્નના કેસમાં આઇસ્ક્રીમના વેપારીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ
રાજકોટ તા. ર૭: આઇસ્ક્રીમના વેપારી પુજારા જયેશભાઇ ગોવિંદભાઇ ને એક વર્ષની સજા ફરમાવતી નામદાર કોર્ટ.રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ-દિનેશભાઇ કલ્યાણભાઇ વાઢેરએ આ કામના આરોપી પુજારા જયેશભાઇ ગોવિંદભાઇ વિરૃધ્ધ ચેક રીર્ટનની ફરીયાદ કરતા કેસ ચાલી જતા કોર્ટે આ કામના આરોપીને ૧-વર્ષની સજા તથા ચેક મુજબની વળતરની રકમ-૧-માસમાં ચુકવવાનો હુકમ કરેલ અને જો ઉપરોકત વળતરની રકમ ૧-માસમાં ન ચુકવે તો વધુ ૧-માસની સજાનો હુકમ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે ફરીયાદીએ આ કામના આરોપીને ધંધાકીય સંબંધ હોય અને મિત્રતા થઇ જતા આ કામના આરોપીને તેમના ધંધાના વિકાસ અર્થે રૃ. ર,પ૦,૦૦૦/-ની જરૃર પડતા આ કામના ફરીયાદીએ મિત્રતાના દાવે આપેલ અને આ કામના આરોપીએ આ રકમ પરત ચુકવવા તેમની બેંકનો ચેક આપેલ જે ચેક રીર્ટન થતા આ કામના ફરીયાદીએ નેગો. ઇન્સ્ટ્રુ-એકટ મુજબ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ કોર્ટમાં ચાલી જતા આ કામના ફરીયાદીના એડવોકેટ શ્રી ચંદ્રસિંહ ભાવસિંહ તલાટીયાએ લેખિત તથા મૌખિક રજુઆત કરેલ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ જેને કોર્ટે યોગ્ય ગણી જેના અનુસંધાને તા. ૧૬-૧-ર૦ર૩ના રોજ આ કામના આરોપી પુજારા જયેશભાઇ ગોવિંદભાઇ વિરૃધ્ધમાં ચુકાદો આપી અને તેમને એક વર્ષની સજા તથા એક માસની અંદર ચેકનું વળતર આ કામના ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામના ફરીયાદી વતી રાજકોટના વકીલશ્રી ચંદ્રસિંહ બી. તલાટીયા (સી.બી.) ચંદ્રસિંહ જી. પરમાર (સી.પી.) વિશાલ એ. સોલંકી, અર્જુનસિંહ ભટ્ટી તથા ક્રિષ્ના કે. ચૌહાણ, ચિરાગ કે. કુકરેચા રોકાયા હતા.