રાજકોટ
News of Saturday, 27th February 2021

આવતા રવીવારે જીપીએસસી દ્વારા વેચાણવેરા નિરીક્ષકની રાજકોટમાં પરીક્ષાઃ ૧૧૭૮૧ ઉમેદવારો

૧૧ થી ૧ પરીક્ષાઃ ૭ રૂટ : દરેક કેન્દ્રો માટે અધિકારીઓ નિમાયા

રાજકોટ, તા., ૨૭: આવતા રવીવારે જીપીએસસી દ્વારા રાજકોટના ૫૧ કેન્દ્રો ઉપર વેચાણવેરા નિરીક્ષકની પરીક્ષા લેવાશે. કુલ ૧૧૭૮૧ ઉમેદવારો પરીક્ષા આપશે.

કલેકટર તંત્રના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે કુલ ૭ રૂટ ઉપર પરીક્ષા લેવાશે. આ માટે દરેક કેન્દ્રો ઉપર તકેદારી અધિકારીઓ-સુપરવીઝન અંગે નિમણુંકો થઇ ગઇ છે.

પરીક્ષા ૧૧ થી ૧ લેવાશે.  અને રૂટ વાઇઝ નોડલ ઓફીસરો માટે હવે જીપીએસસી મારફત ડે. કલેકટરો ખાસ મુકાશે.

(11:29 am IST)