રાજકોટ
News of Saturday, 27th February 2021

રામનાથપરામાંથી આઇશા શેખ બે પુત્રી સાથે લાપતા

રાજકોટ,તા. ૨૭: મુળ વેસ્ટ બંગાળની હાલ રાજકોટ રામનાથપરા શેરી નં. ૧૮માં રહેતી આઇશાબાનું સાબીર અલી શેખ (ઉવ.૨૯) તેની બે પુત્રી સુરૈયા (ઉવ.૧૦) અને સાનિયા (ઉવ.૫) સાથે બાર દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત  ન આવતા તેના પતિ સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ત્રણેયનો કોઇ પતો ન લાગતા તેના પતિએ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એ.એસ.આઇ ભરતસિંહ ગોહીલે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ મહિલા અને બે પુત્રી જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:42 pm IST)