રાજકોટ
News of Saturday, 27th February 2021

મોરબીમાં ઘરકામ અને મકાન લેવા માટે પાંચ લાખની માંગણી કરી બિંદીયાબેનને ત્રાસ

રાજકોટ માવતરે રહેતા બીંદીયાબેનની ફરિયાદ પરથી પતિ નિકુંજ, સસરા નવીનભાઇ અને બે નણંદ તેજલબેન અને રક્ષાબેન સામે ગુનો

રાજકોટ,તા. ૨૭: યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કમાં માવતરના ઘરે રહેતી મહિલાને મોરબીમાં પતિ, સસરા અને બે નણંદ ઘરકામ બાબતે અને મકાન લેવા માટે માવતરેથી પાંચ લાખની માંગણી કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પેરેમાઉન્ટ પાર્ક શેરી નં. ૫માં માવતરના ઘરે રહેતા બિંદીયાબેન નિકુંજ બગથરીયા (ઉવ.૩૦)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મોરબી સામાકાંઠે રૂષભ -૪માં રહેતા પતિ નિકુંજ બગથરીયા, સસરા નવીનભાઇ કેશુભાઇ બગથરીયા, જામનગર ગોકુલનગર સાઇનાવાળી ગલી શેરી નં. ૬માં રહેણા નણંદ તેજલબેન હરેશભાઇ સોલંકી અને રાજકોટ ભકિતનગર સર્કલ ગાયત્રીનગરમાં રહેતા નણંદ રક્ષાબેન ચિરાગભાઇ શીશાંગીયાના નામ આપ્યા છે. બિંદીયાબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના પાંચ વર્ષ પહેલા મોરબીના નિકુંજ બગથરીયા સાથે લગ્ન થયા હતા. પતિ સીરામીકના કારખાનામાં નોકરી કરે છે. લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તી થઇ હતી. લગ્નના થોડા સમય બાદ પતિ મોબાઇલ ફોનમાં વ્યસ્થ રહેતા પોતાના પર અને પુત્ર પર ધ્યાન આપતા ન હતા અને પતિ અને સસરા ઘરકામ બાબતે મેણાટોણા મારી ગાળો આપતા હતા પતિ નજીવી બાબતે ઉશ્કેરાઇને મારકૂટ કરતા હતા અને સસરાએ મકાન લેવા બાબતે ૫ લાખની માંગણી કરી હતી. તથા બંને નણંદ પતિ અને સસરાને ચઢામણી કરતા પતિ અને સસરા મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા અને જો માવતરે નહિ જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપતા પોતે ગત દિવાળીએ માવતરે આવ્યા હતા. બાદ પતિ અને સસરા સાથે સમાધાનના પ્રયત્નો કર્યા છતા પતિ પોતાને તેડવા ન આવતા પોતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એન.જે.બેલીમે તપાસ હાથ ધરી છે.

(2:43 pm IST)