રાજકોટ ડીઝાસ્ટરના અધિકારી પ્રિયંકસિંઘને બઢતી : અધીક નિયામક તરીકે દાદરાનગર મુકાયા
રાજકોટ તા. ૨૭ : રાજકોટ કલેકટર તંત્રમાં ડીઝાસ્ટર બ્રાંચમાં સતત ૬ વર્ષ સફળ ફરજ બજાવનાર અને અનેક મોક પોલ દ્વારા જાગૃતિ લાવનાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી શ્રી પ્રિયંકસિંઘને બઢતી મળતા કલેકટર તંત્ર દ્વારા ખાસ અભિનંદન પાઠવાયા હતા.
શ્રી પ્રિયંકસિંઘ હવે અધિક નિયામક (ડીઝાસ્ટર) બન્યા છે, અને તેમની બઢતી સાથે દાદરાનગર હવેલી ખાતે બદલી થઇ છે, તેઓએ રાજકોટમાં ૨૦૧૪માં ચાર્જ સંભાળ્યો ત્યારે નીલોફર વાવાઝોડુ ત્રાટકયું હતું અને તેમાં શ્રેષ્ઠ કામગીરી સંદર્ભે તેમને એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૭ - ૨૦૧૮ - ૨૦૨૦માં પણ તેમને એવોર્ડ મળી ચૂકયો છે. શ્રી પ્રિયંકસિંઘ સોમવારે ચાર્જ સંભાળશે. આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, રાજકોટ જેવી મજા મને કયારેય નહી આવે. રાજકોટને હું કયારેય નહી ભૂલું.