આટકોટના હોસ્પિટલ લોકાર્પણ સમારોહમાં માલધારી સમાજ મોટી સંખ્યામાં ઉમટશે
કડુકા અને કંધેવાડીયામાં મળેલ બેઠકમાં નિરધાર : ગામો ગામ બેઠક
રાજકોટ તા. ૨૭ : આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ સમારોમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી માલધારી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડશે. તેમ ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ દિનેશભાઇ ટોળીયાની યાદીમાં જણાવાયુ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્દઘાટન થવા જઇ રહ્યુ છે. ત્યારે લોકલાડીલા નેતાને સત્કારવા માલધારી સમાજમાં પણ અનેરો ઉમંગ છવાયો છે. આટકોટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પૂર્વ તૈયારી અર્થે કડુકા અને કંધેવાડીયા ખાતે માલધારી સમાજની એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં માલધારી સમાજે અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો. ગામડે ગામડે જુથ મીટીંગો કરી આટકોટના લોકાર્પણ સમારોહને ભવ્ય બનાવવા તૈયારીઓ આદરવામાં આવી છે.
આ માટે જુલુ ભગત કંધેવાડીયા, આંબાભાઇ વિભાભાઇ ડીરેકટર, કડવાબાપા ભુવાશ્રી કડુકા મંદિર, દિનેશભાઇ ટોળીયા સંયોજક ગુજરાત પ્રદેશ માલધારી સેલ, ઘુઘાભાઇ ચાવડા, વનરાજભાઇ ખીટ મહામંત્રી તાલુકા ભાજપ, જેઠાભાઇ ચાવડા ડીરેકટર, કમાભાઇ વકાતર, નારણભાઇ વકાતર, હાજાભાઇ સાંબળ તાલુકા સભ્ય, મેરૂભાઇ રબારી, કાળાભાઇ રાતડીયા, મુન્નાભાઇ અજમેરવાળા, ગભાભાઇ પરમાર, વશરામભાઇ ખીટ, રામજીભાઇ રઘુભાઇ દ્વારા માલધારી સમાજને આહવાન કરાયુ છે.