મોદીના આઠ વર્ષના શાસનના કોંગ્રેસે વર્ણવેલ આઠ જુઠાણા કોઇને ગળે ન ઉતરે તેવા : ગોવિંદભાઇ પટેલ
રાજકોટ તા. ૨૭ : વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના શાસનના આઠ જુઠાણા કોંગ્રેસે વર્ણવ્યા છે તે કોઇને ગળે ઉતરે તેવા ન હોવાનું ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ છે.
તેઓએ જણાવ્યુ છે કે કોંગ્રેસના શાસનમાં ઘરનું ઘર એક સ્વપ્ન હતુ. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના મારફતે લાખો લોકોને પોતાનું ઘરનું ઘર મળ્યુ છે. કોંગ્રેસે માત્ર ઘરના ઘરના ફોર્મ વહેચીને લોકોને મુર્ખ બનાવ્યાતા.
હાલ આયુશ્યમાન ભારત યોજના, જનધન યોજના થકી ૪૫ કરોડથી વધુ બેંક ખાતા ખુલયા, કોરોના કાળથી ગરીબ કલ્યાણ યોજના થકી મફત અનાજ અને ઉજવલા યોજના થકી ૯ કરોડ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મફત ગેસ કનેકશન અપાયા.
કોંગ્રેસના શાસનમાં આવો વિચાર શુધ્ધા કરાયો નહોતો. અને આજે તે કયા મોઢે નરેન્દ્રભાઇ મોદીની સરકારને વગોવવા નિકળે છે? તેમ ગોવિંદભાઇ પટેલે અંતમાં જણાવ્યુ છે.