જાણતા રાજા નાટકનો આજે છેલ્લો દિ'
શહેરીજનોને લાભ લેવા તંત્રનો અનુરોધ
રાજકોટ, તા. ૨૭ : - રમત ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ વિભાગ દ્વારા આયોજિત એશિયાનું મહાનાટય ‘‘જાણતા રાજા'' રાજકોટ ખાતે આયોજિત થઇ રહ્યું છે. આ મહાન નાટય તારીખ ૨૪ મેથી ૨૭ મે એમ ૦૪ દિવસ દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યું છે.
રેસકોર્સ મેદાનમાં વિશિષ્ટ સેટ-અપ ઊભું કરવામાં આવ્યું છે, આ સેટ અપ તે સમયની સંસ્કળતિ એ સમયના કિલ્લા અને એ સમયના જે આખું વાતાવરણ એ મુજબ જાણે એ યુગમાં જ આપણે આવી ગયા છીએ એવી અનુભૂતિ કરાવતું અદભુત નાટકનો આજે ‘‘છેલ્લો શો'' યોજાનાર છે.
અનિવાર્ય સંજોગોને કારણે આ મહાનાટયની પૂર્ણાહુતિ તા.૨૭ એટલે કે આજના રોજ હોઈ, રાજકોટના પ્રજાજનોને ખાસ વિનંતી કે આજે છેલ્લા શોનો લાભ અચૂક લે. રાજકોટમાં આ મહાન નાટક ભજવાય અને રાજકોટની જનતા પણ આનો વિશિષ્ટ રીતે લાભ લઇ શકે એ માટે એ પ્રકારનો રાજ્ય સરકારનો હેતુ છે.