રાજકોટ
News of Monday, 27th June 2022

લાપાસરીના દિપીકાબેન રાઠોડનું એપેન્‍ડીક્‍સના ઓપરેશન બાદ મોત

વાળંદ મહિલાએ જુનાગઢ ઓપરેશન કરાવ્‍યા બાદ તબિયત બગડતાં રાજકોટ ખસેડાયા હતાં: ત્રણ સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૨૭: તાલુકાના લાપાસરી ગામે રહેતાં દિપીકાબેન શૈલેષભાઇ રાઠોડ (વાળંદ) (ઉ.વ.૨૬)ને પેટમાં દુઃખતું હોઇ ૧૫/૬ના રોજ જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યાં એપેન્‍ડીક્‍સનું ઓપરેશન કરાવાયા બાદ ગઇકાલે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાંઉ પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારના માવતર નવસારી રહે છે. પતિ રિક્ષાચાલક છે. બનાવથી એક પુત્ર અને બે પુત્રી મળી ત્રણ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

(11:38 am IST)