ગાયકવાડીમાં ઘોડાગાડીવાળા આબિદ જૂણેજાનો તબેલામાં લટકી જઇ આપઘાત
રાતે ઘરે મોડા આવવા મામલે માતાએ આપેલા ઠપકાનું માઠુ લાગતાં પગલુ ભર્યાનું પ્રાથમિક તારણઃ બે વર્ષ પહેલા જ શાદી થઇ'તીઃ માસુમ પુત્રી પિતા વિહોણી
રાજકોટ તા. ૨૭: શહેરના ગાયકવાડી-૩માં રહેતાં આબિદ ઓસમાણભાઇ જુણેજા (ઉ.વ.૨૫) નામના યુવાને ઘરે તબેલામાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ આબિદે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કે.વી. માલવીયા અને રામજીભાઇ ટાઢાણીએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર આબિદ એક બહેન અને એક ભાઇમાં માતા-પિતાનો એક જ દિકરો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે રેસકોર્ષમાં ઘોડાગાડી હંકારતો હતો. જ્યારે તેના પિતા આર.એમ.સી. સ્વીમિંગ પુલમાં કામ કરે છે. રાતે આબિદ ઘરે મોડો આવતો હોઇ જેથી માતા જુબેદાબેને ઠપકો આપતાં તેણે આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.