News of Tuesday, 27th July 2021
સરગમ પરિવાર પર પૂ. હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ રહ્યા છે : ગુણવંતભાઇ ડેલાવાળા
રાજકોટ તા. ૨૭ : સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પૂ. હરિપ્રસાદ સ્વામીનો અક્ષરવાસ થતા સરગમ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સરગમ પરિવાર ઉપર પૂ. હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ હતા. તેમ શ્રધ્ધાંજલી અર્પણ કરતા કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યુ છે.
યુવાઓમાં વ્યસન મુકિત, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવાભાવ ઉજાગર કરવામાં પૂ. હરિપ્રસાદ સ્વામીનું અમુલ્ય યોગદાન રહ્યુ હોવાનું ગુણવંતભાઇ ડેલાવાળાએ શ્રધ્ધા સુમન અર્પણ કરતા જણાવેલ.
(3:43 pm IST)