રાજકોટ
News of Tuesday, 27th July 2021

બા નું ઘર વૃધ્ધાશ્રમના વડીલો ફાર્મહાઉસની સહેલગાહે

માનવ કલ્યાણ મંડળ દ્વારા સંચાલિત 'બા નું ઘર' વૃધ્ધાશ્રમના વડીલોને તાજેતરમાં રાજાબાપા હુંબલના જય મુરલીધર ફાર્મ હાઉસ ખાતે સહેલગાહ કરાવવામાં આવી હતી. જયાં વીરાભાઇ હુંબલ, ચંદુભાઇ હુંબલ, ઘનશ્યામભાઇ હેરભા સહીતના આગેવાનોએ વડીલોનું આત્મિયતાભર્યુ સ્વાગત કરી પંજાબી ભોજન જમાડયુ હતુ. આવા સરસ આયોજન બદલ સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજા, મહામંત્રી વિભાબેન મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, ડો. વી. એન. પટેલ, ડો. જીજ્ઞેશભાઇ, મનસુખભાઇ, હીરેનભાઇ, રક્ષીતભાઇ, અંકીતભાઇ, મંજુલાબેન કટારીયા, મનીષાબેન, નિશિતાબેન, મીનાબેન વગેરેએ હુંબલ પરિવારનો આભાર માન્યો હતો. 

(3:44 pm IST)