વ્યાજ સહિત સાડા નવ લાખ ચૂકવ્યા છતાં ૭ લાખ માંગી પરેશભાઇ પર બે શખ્સોનો હુમલો
લાલા ભરવાડ તેનો ભત્રીજો મુન્ના ભરવાડ સામે ગુનો નોંધાયો
રાજકોટ તા. ર૭ : રેલનગરના બટેટાના વેપારીએ વ્યાજ સહિત સાડાનવ લાખ ચૂકવ્યા છતાં વધુ સાતલાખ માંગી બે વ્યાજખોર શખ્સોએ વેપારીને રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાસે બોલાવી લાકડીવડે માર મારતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતા અને બટેટાનો વેપાર કરતા પરેશભાઇ અરવિંદભાઇ મીરાણી (ઉ.૪૬) સવારે પોતાના ઘરે હતા ત્યારે લાલા હીરા ભરવાડ નામના શખ્સે તેન ેરૈયારોડ પર આલાપગ્રીન સીટી પાસે બોલાવતા પરેશભાઇ ત્યાં પહોંચતા લીલા હીરા ભરવાડ અનેતેના ભત્રીજા મુન્ના ભરવાડે સાત લાખની માગણી કરી લાકડી વડે માર મારતા પરેશભાઇને બંને પગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને પગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને ભરવાડ શખ્સો ભાગી ગયા હતા બાદ પરેશભાઇને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવમાં પરેશભાઇએ આઠ માસ પહેલા લીલા હીરા ભરવાડ પાસેથી સાડા ત્રણ લાખ વ્યાજે લીધા હતાં. તેણે વ્યાજ સહિત સાડા નવ લાખ ચૂકવ્યા છતાં વધુ સાત લાખની માગણી કરી બંને શખ્સોએ માર માર્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.