રઘુવંશી પરિવારની કુ.વિધિ જટણીયાનો નેશનલ પ્રતિયોગિતામાં પ્રથમ પુરસ્કાર
રાજકોટ : યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત સાર્વજનિક ક્ષેત્રની બેંકો અને વિતિય સંસ્થાઓ માટેની અખિલ ભારતીય હિન્દી નિબંધ પ્રતિયોગિતામાં ક્ષેત્રમાં કેનરા બેંક રાજકોટનાં અધિકારી તેમજ રાજકોટ લોહાણા મહાજનનાં કારોબારી સભ્ય કુ. વિધિ ચંદ્રકાંત જટણીયાએ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.
આ પહેલા પણ તેઓ કેનેરા બેંકની વિવિધ પ્રતિયોગિતાઓમાં નેશનલ લેવલ પર પુરસ્કાર મેળવી ચૂકયા છે. સાથે અન્ય બેંક-બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક વિજ્યા બેંક અને નરાકાસમાં પણ અનેક પુરસ્કાર મેળવી ચૂકયાં છે.
આ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર માનનીય શ્રી રઘુરામ રાજનના હસ્તે પ્રથમ પુરસ્કાર એવોર્ડ વિવિધ પ્રવૃતિઓની સાથે તેઓ પોતાની યૂ ટયુબ ચેનલ વિધિ જટણીયા નામે ધરાવે છે. તેઓ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.