ભાજપના દિગ્ગજ નેતા રમેશભાઈ રૂપાપરાના પિતાશ્રીનું દુઃખદ નિધન
સદ્દગત ધનજીભાઈની સ્મશાનયાત્રામાં મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા
રાજકોટઃ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા શ્રી રમેશભાઈ રૂપાપરાના પિતાશ્રી શ્રી ધનજીભાઈ રૂપાપરાનું આજરોજ દુઃખદ નિધન થયું છે. સમગ્ર રૂપાપરા પરિવારમાં શોકની લાગણી પ્રર્વતી છે. સદ્દગતની સ્મશાનયાત્રામાં મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા.
રમેશભાઈ રૂપાપરા અને કિશોરભાઈના પિતાશ્રી ધનજીભાઈની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન 'વંદેમાતરમ્' સોરઠીયાવાડી સર્કલ ખાતેથી નિકળી હતી. આ સ્મશાનયાત્રામાં ધારાસભ્ય ગોવિંદભાઈપટેલ, ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, કશ્યપ શુકલ, પિયુષ મહેતા, પ્રદીપ ત્રિવેદી, જયમીન ઠાકર, કમલેશભાઈ શાહ, હરેશભાઈ તલાટીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જીતુ કોઠારી, કેતન પટેલ, અશ્વિન પાંભર, ભાવેશ વેકરીયા, રમેશભાઈ ટીલાળા, ભીખુભાઈ, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, મનહરભાઈ બાબરીયા, વિક્રમ પૂજારા, વિજયભાઈ ડોબરીયા, ચેતન રામાણી, ગૌતમ કાનગડ, ભાવેશ વેકરીયા, હાર્દિક ગોહેલ, મનિષ રાડીયા (કોર્પોરેટર), નિશીથ ત્રિવેદી, મહેશ રાજપુત, રાજાભાઈ પરસાણા, કિરીટ પાઠક, મહેશ પરમાર, પૃથ્વીસિંહ જાડેજા, સંજય પરમાર, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, નેહલ શુકલ (કોર્પોરેટર), ભીખુભા જાડેજા, અશોક લુણાગરીયા, અમુભાઈ શિયાણી, નિલેશ શિયાણી અને સુરેશભાઈ રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)