News of Saturday, 28th January 2023
સરસ્વતી વિદ્યાલયમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી
બ્રાહ્મણીયા પરા, ગોવિંદબાગ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ ડે.મેયર વલ્લભભાઇ દૂધાત્રાના હસ્તે સવારે ૮ વાગ્યે ધ્વજવંદન રાખેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૫ના મહામંત્રી દિનેશભાઇ ડાંગર તથા વાલી અગ્રણી અરવિંદભાઇ નસિત ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ભાતીગળ ગીત-સંગીત, દેશભકિતના ગીતો, નાટક, શૌર્યગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. શાળાના શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓએ ભારતમાતાનું પુજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક જે.ડી.ભાખરના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષણગણે જહેમત ઉઠાવેલ.
(4:30 pm IST)