શ્રી પુનિત સદગુરુ ભજન મંડળ દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી
રાજકોટઃ શ્રી પુનિત સદ્ગુરુ ભજન મંડળના પાયાના સભ્ય શ્રી મહેન્દ્રભાઇ લાખાણી (હોન્ડાએકટીવાવાળા)ના વેવાઇ ડો. બથીયા દ્વારકાવાળાના ભાઇ સ્વ. લક્ષ્મીદાસભાઇ તથા બહેન સ્વ. ભાનુબેન બન્નેનું અઠવાડીયાના અંતરે જ અવસાન થતા તથા રાજકોટના સ્વ. કંકુબેન ગોવિંદભાઇ (ઉ.વ.૯૫)નું અવસાન થતા ‘‘સંતપુનિત'' ના ભજનો થકી શ્રધ્ધાંજલી અર્પણ કરવાનું આયોજન ‘‘શ્રી ગણેશ કૃપા' ૧/૫ ગીતનગરમાં થયેલ રૂબરૂ તથા ટેકનોલોજીના માધ્મથી નથવાણી પરિવારના સભ્યો પૂર્વીબેન તથા પ્રનિતભાઇ, જયશ્રીબેન તથા જયેશભાઇ, મેઘાબેન તથા હેનિતભાઇ ઉપરાંત જેન્તીભાઇ માંડલીયા, નેવિલભાઇ કાનાબાર, ભરતભાઇ ગોૅડલીયા, જશ્મીનાબેન પી.મોદી, ભરતભાઇ ગોલાણીયા, કવિતાબેન નારૂલા (કેનેડા) અશોકભાઇ ભાયાણી (રામનામ કે હિરેમોતી ફેઇમ) ભાવનાબેન કારેલીયા, જીતુભાઇ દવે (એડવોકેટ) ક્રિષ્નાબેન જોબનપુત્રા, સંગીતાબેન એસ સુચક, રંજનબેન ખીમાણી (વેરાવળ) ભાવનાબેન રૂપારેલીયા (લંડન) જલ્પાબેન તથા પ્રણવભાઇ શિંગાળા, મહેન્દ્રભાઇ માંડલીયા, ઉર્મીલાબેન કાગડા, સુંદરલાલ પાંઉ, પ્રકાશ બુદ્ધદેવ (મસ્કત) બાબુભાઇ પેંડાવાળા દંપતિ, દેવશ્ય તથા વિપુલભાઇ મુલીયા, સંજયભાઇ વેરા, મનસુખભાઇ વરીયા, અરવિંદભાઇ જેઠવા (ભાજનીક), પાર્થબુદ્ધદેવનો સહયોગ પ્રાપ્ત થયેલ.