રાજકોટ
News of Friday, 28th August 2020

રૈયાધારમાં ગાળો બોલવા મામલે મારવાડી લોકો વચ્ચે મારામારીઃ ચાર ઘાયલ થયા

રાજકોટ તા. ૨૮: રૈયાધારમા મેલડી માતાજીના મંદિર પાસે ઇન્દિરાનગરમાં રાત્રે ગાળો બોલવા મામલે મારામારી થતાં મારવાડી પરિવારના ચારને ઇજા થઇ હતી.

જેમાં મુકેશ પ્રેમાજીભાઇ ભાટી (ઉ.૨૩), જગદીશ પ્રેમાજીભાઇ ભાટી (ઉ.વ.૨૫) તથા પ્રેમાજીભાઇ ભેરાજીભાઇ ભાટી (ઉ.વ.૬૦)  પોતાના પર ભાઇ ભીખાજી પ્રેમાજીએ હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આ ઉપરાંત ભીખાજી ભેરાજીભાઇ ભાટી (ઉ.૩૯) પણ પોતાને મોટા ભાઇ અને ભત્રીજાએ કુહાડીથી હુમલો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ભીખાજીના કહેવા મુજબ તેણે ભાઇ-ભત્રીજાઓને ગાળો બોલવાની ના પાડતાં હુમલો થયો હતો.

(12:58 pm IST)