રાજકોટ
News of Friday, 28th August 2020

સરહદ પર લડતા સેનાના જવાનો જેવી ફિલીંગ થાય છેઃ ધનવંતરી રથના યોધ્ધા ડો. ધરતી રાઠોડ

કોરોના સંક્રમણ સમયે નાગરિકોના ઘરે-ઘરે જઇને તેમને કોરોના બાબતે જાગૃત કરવાની કામગીરીમાં ગજબનો આત્મસંતોષ મળે છે, આ અનુભવ લાંબા સમય સુધી યાદ રહેશે

રાજકોટ તા. ૨૮: જેની કીર્તિ છેક કેન્દ્ર સરકારના સીમાડાઓને આંબી ચુકી છે,ઙ્ગએવા ગુજરાત સરકારના માનસપુત્ર સમા ધન્વંતરી રથ રાજયભરના નાગરિકો માટે કોરોના સામેની લડાઇમાં અમોઘ  શસ્ત્ર પુરવાર થઇ રહયા છે. આવા જ એક ધન્વંતરી રથના કોરોના યોધ્ધા ડો. ધરતી રાઠોડે જણાવ્યું હતું કે,ઙ્ગકોરોના સમયે રાજકોટના નાગરિકોની સેવા કરતી વખતે સરહદ પર લડતા ભારતીય સેનાના જવાનો જેવી ફીલીંગ આવે છે. ડોકટર તરીકે અમારે હંમેશા સોફિસ્ટિકેટેડ સર્વીસ જ કરવાની થતી હોય છે. પરંતુ કોરોના સંક્રમણ સમયે નાગરિકોના ઘરે-ઘરે જઇને તેમને કોરોના બાબતે જાગૃત કરવાની કામગીરીમાં ગજબનો આત્મસંતોષ મળે છે. ગ્રાસ રૂટ લેવલનો આ અનુભવ અમને અમારી સમગ્ર કારકીર્દિ દરમ્યાન લાંબા સમય સુધી યાદ રહેશે. ધન્વંતરી રથમાં જોડાવાથી અમને રોજગારી મળવાની સાથે માનવીય સ્વભાવના વિવિધ પાસાંઓથી પરિચિત થવાનો પણ મોકો મળે છે,ઙ્ગજેનાથી મળનારૃં અમૂલ્ય ભાથું અમને અમારા ડોકટર તરીકેના કાર્યકાળમાં ખૂબ ઉપયોગી બની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના વિજય પ્લોટ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત ધન્વંતરી રથમાં મેડિકલ ટીમ તરીકે ડો. ધરતી રાઠોડ,ઙ્ગનેહલબેન ચાવડા અનેઙ્ગધારાબેન વાજાઙ્ગફરજો બજાવે છે,ઙ્ગજયારે રથના ડ્રાઇવર તરીકે હિતેષભાઇ પરમાર તેમની સેવાઓ આપી રહયા છે. આ યુવા યોધ્ધાઓએ તેમની ફરજોને સંપૂર્ણ માનવીય સ્પર્શ આપ્યો છે. કોરોના સમયની લોકોની માનસિકતાને પારખીને તેઓ લોકોને કોરોનાનો સામનો કરવા તેમની જ ભાષામાં સમજાવે છે. અને માસ્ક પહેરવા,ઙ્ગસામાજિક અંતર જાળવવા,ઙ્ગવારે-વારે હાથ ધોવા,ઙ્ગજરૂર જણાયે કોરોના ટેસ્ટ કરવાઙ્ગવગેરે માટેની રાજયસરકારની ખેવના તેમના સુધી પહોંચાડે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડના જણાવ્યા અનુસાર,ઙ્ગરાજકોટ મ્યુ. કોર્પોરેશન  દ્વારા રાજકોટ શહેરમાં કુલ ૫૦ ધન્વંતરી રથ કાર્યરત છે. એક રથમાં મેડિકલ,ઙ્ગપેરા મેડિકલ,ઙ્ગનર્સ અને ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યકિતઓ કાર્યરત હોય છે. સવારે ૯ થી ૧ અને સાંજે ૩ થી ૭ દરમ્યાન આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે,ઙ્ગઅને નાગરિકોને કોરોના સામે જાગૃત કરે છે,ઙ્ગકોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓના સ્થળ પર જ ટેસ્ટ કરે છે તથા જરૂરિયાતવાળા દર્દીઓને ઉકાળા,ઙ્ગદવા વગેરેનું સ્થળ પર જ વિતરણ કરે છે.

અમુક દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવવા માટે અને ઉકાળા તથા દવાઓ લેવા માટે રાજી નથી થતા,ઙ્ગતેમની સાથે સમજાવટથી અને ધીરજથી કામ લઇને ધન્વંતરી રથના આ કર્મચારીઓ સમગ્ર સમાજ માટે બહુમૂલ્ય ફરજો બજાવે છે. અને કોરોનાનું સંક્રમણ રોકવા તેમનું યથાશકિત પ્રદાન આપે છે. કોરોના સામેના યુધ્ધમાં અમૂલ્ય ફરજો બજાવતા રાજયસરકારના આ યોધ્ધાઓ થકી રાજયના નાગરિકો કોરોનાને ખૂબ ઝડપથી મ્હાત આપી શકશે,ઙ્ગએમાં શંકાને સ્થાન નથી.

(3:02 pm IST)