ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર ડ્રોન દ્વારા દવાનો છંટકાવનો નિદર્શન કરાયું
ધોરાજી : ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર નવી ખેડૂત પદ્ધતિ ડ્રોન દ્વારા દવાનો છંટકાવનો નિદર્શન કરાયુ હતું. જેમાં ધોરાજી ના ખેડૂતો એ ડ્રોન દ્વારા કઈ રીતે દવા છટકાવ થાય છે તેમનું નિરક્ષણ કર્યું હતું. ધોરાજીના જામકંડોરણા રોડ ખાતે ખેડૂત હરશુખભાઈ વાગડીયા, સચિનભાઈ વાગડીયા એ જણાવેલ કે ભારત સરકાર ખેડૂત માટે નવી નવી ટેકનોલોજી આપનાવી રહી છે જેથી ખેડૂતની ખેતી સમૃદ્ધ બંને તે માટે દવા છટકાવ માટે ડ્રોન બનાવવામાં આવ્યુ છે જેનું રીહર્સલ ધોરાજીના જામકંડોરણા રોડ ખાતે યોજવામાં આવેલ જેમાં ધોરાજીના ખેડૂતો એ ડ્રોન દ્વારા કઈ રીતે દવા છટકાવ થાય છે તેમનું નિરક્ષણ કર્યું હતું. સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજના બહાર પાડવામાં આવી છે ત્યારે અનેક કંપની ઓં દ્વારા ખેડૂત માટે આધુનિક મશીનરી બનાવી રહી છે ત્યારે ખેડૂત માટે દવા છટકાવ માટેનું આધુનિક ડ્રોન બનાવવામાં આવ્યુ છે આ ડ્રોન ની વિશેસતા એ છે કે આ ડ્રોન દ્વારા એક એકરમાં માત્ર દસ મિનટમાં દવા છંટકાવ કરિ શકાય છે અને એક દિવસમાં કોઈ પણ મજુર વગર વીસ થી પચ્ચીસ એકર માં દવા છટકાવ કરી શકાય છે અને દવાના ખર્ચ માં પણ ત્રીસ થી ચાલીસ ટકા બચાવ થાય છે અને આ ડ્રોન દ્વારા વરસાદમાં આપણે ખેતરમાં જઈ સકતા નથી ત્યારે આ ડ્રોન દ્વારા દવાનો છટકાવ કરી શકાય છે અને કોઈપણ ગીચતા વાળા કે ઉંચાઈ વાળા પાક માટે આ આધુનિક ડ્રોન દ્વારા દવા છટકાવ કરી શકાય છે એગ્રીઓન ડ્રોનની કિંમત ૧૪ લાખની કિંમત છે અને જો આટલી કિંમતમાં ખેડૂત ડ્રોનની ખરીદી શકે તેમ નો હોઈ આ ડ્રોન મહત્વનું સાબિત થાય તેમ છે કારણે કે આ ડ્રોન થી દવા છટકાવ કરવાથી મજુરીનો ખર્ચ અને પચાસ ટકા દવાનો ખર્ચ બચી જાય છે અને ખેતરના ખૂણે ખૂણે સુધી ઝડપથી દવાનો છટકાવ થાય છે ત્યારે ધોરાજીના જામકંડોરણાના રોડ ખાતે અમારા ખેડૂતો એ લાઈવ ડેમો જોઈ આ ડ્રોન દ્વારા દવા છટકાવ માટે સરકાર દ્વારા ૮૦૦ રૃપિયા લે છે ખેડૂતોને ૫૦૦ રૃપિયા ની સબસીડી આપવામાં આવે છે અને માત્ર ખેડૂતને એક એકર માત્ર ૩૦૦ રૃપિયા મા છટકાવ થાય છે ખેડૂત ને પોતાનો પાક પણ સારો મળે છે અને છેવાડા સુધી ડ્રોન દ્વારા દવા પણ છટકાવ થાય છે અને સમય પણ બચત થાય છે.(તસવીર -અહેવાલ : કિશોર રાઠોડ,ધોરાજી)