બેંક ઓફ ઇન્ડિયાની ગ્રાહક સુવિધાનો લોકો મોટા પ્રમાણમાં લાભ ઉઠાવેઃ ઝોનલ મેનેજર અમરેન્દ્રકુમાર
ગ્રાહક ભગવાન છે તેવી થિયરીમા દ્રઢ વિશ્વાસ ધરાવતા બીઓઆઇના મેનેજમેન્ટ દ્વારા વધુ એક ગ્રાહકલક્ષી સેવા : ગ્રાહકોની વિશેષ સવલત માટે કાલાવડ રોડ બ્રાન્ચ મહત્વના સ્થળે લોકાર્પણ
રાજકોટઃ ગ્રાહક ભગવાન છે. અને રાજા પણ છે આવી માન્યતા ધરાવતા બેંક ઓફ ઇન્ડિયાના મંત્ર અને આ મંત્ર સતત સાર્થક કરવા માટે ઝઝૂમતા બેંક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજર અમરેન્દ્ર કુમાર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા ગ્રાહકોને વિવિધ સુવિધા મળે તે માટે કાલાવડ રોડ પર આધુનિક અને સુવિધાજનક બ્રાન્ચનું લોકોપર્ણ ઝોનલ મેનેજર વિગેરે દ્વારા કરવામાં આવ્યુ છે.
બેંક ઓફ ઇન્ડિયા, કાલાવડ શાખાનું ગ્રાઉન્ડ ફલોર દુકાન નં.૧એ, ૧બી, દુકાન નં.૨, રિવેરા વેવ, આરપીજે હોટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ૩૬૦૦૦૫ પર સ્થળાંતર સાથે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયા રાજકોટ ઝોનના ઝોનલ મેનેજર શ્રીઅમરેનદ્રકુમારના શુભ હસ્તે રિબિન કાપીને શાખા અને ઇગેલેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું.
ઝોનલ મેનેજર શ્રીઅમરેન્દ્રકુમારે બેંક ઓફ ઇન્ડિયાની વિવિધ બેન્કિંગ સેવાઓ જેમકે મકાન લોન, વાહન લોન, ગોલ્ડ લોન, બિઝનેશ લોન, એજયુકેશન લોનની માહિતી આપી બધી સેવાઓના ફાયદા લેવા માટે નિવેદન કર્યુ. ઇ ગેલેરીના લોકાર્પણ સાથે ગ્રાહકોને બેંકની વૈકલ્પિક વિતરણ સેવાઓ જેમકે પીઓએસ, કયુઆર કોડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વિષે માહિતી આપી, આ સેવાનો પણ લાભ ઉઠાવા માટે કહ્યું
બેંક ઓફ ઇન્ડિયા રાજકોટ ઝોનના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રીદિપક રાવલ, શ્રીએસપી સિંઘ અને સહાયક મહાપ્રબંધક શ્રીએલ.વી.એન.ઝાએ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સન્માન અને અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના કાલાવડ શાખાના માનવંતા ગ્રાહકો શ્રીજીમિત રૂપાણી, શ્રીધવલ પટેલ, શ્રીલલિત પટેલ, શ્રીચમન પટેલ, શ્રીમતી ચંપાબેન જવિયાં અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીરાજેન્દ્રકુમાર ભાલોડીયા, પ્રબન્ધકે સર્વે સ્ટાફ અને આમંત્રિત મહેમાનોનું આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ આભાર માની, ઉત્તમ ગ્રાહક સેવા આપવાનું આશ્વાસન આપ્યું. આ પ્રસંગે શાખા દ્વારા રૂા.૨.૫૦ કરોડની લોન વિતરણ કરવામાં આવેલ.