News of Tuesday, 27th September 2022
શકિત વંદના સંમેલનમાં જોડાયા
રાજકોટઃ ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચા દ્વારા નારીશકિત વંદના સંમેલન, અમદાવાદ ખાતે યોજાઇ ગયું. રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીશ્રી નાગદાનભાઇ ચાવડા, શ્રીમનસુખભાઇ રામાણી, શ્રીમનીષભાઇ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા અ.જા.મોરચા પ્રમુખશ્રી મનોજ રાઠોડ તથા કોષાધ્યક્ષશ્રી ગૌરીબેન પરમારની આગેવાનીમાં રાજકોટ જીલ્લાની અનુસૂચિત જાતિની મહિલાઓ આ સંમેલનમાં બહોળી સંખ્યામાં જોડાઇ હતી.
(4:30 pm IST)