વિ.હિ.પ. વિજયાદશમી પર્વ ઉજવશે : રેસકોર્ષમાં શસ્ત્ર પૂજન-રાક્ષસ દહન
રાજકોટ, તા. ર૮ : વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ-દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી તા. પ ઓકટોબર બુધવારે રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭ કલાકે રાક્ષસોના પુતળાનું દહન કરાશે તથા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પૂજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણા બાળકો શસ્ત્ર પૂજનનું઼ મહત્વ જાણે અને સમજે તે માટે આવું આગવું આયોજન કરવામાં આવે છે. જેનો પણ દર વખતે બહોળી સંખ્યામાં લોકો લાભ લ્યે છે. અશુરી શકિતના નાશ માટે વિજયાદશમીના દિવસે રાક્ષસ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. જે અંતર્ગત દર વર્ષે વિ.હિ.પ. બજરંગદળ-દુર્ગાવાહીનીના સંયુકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવે છે. રાક્ષસના પૂતળા બનાવનાર કારીગરોને ખાસ યુ.પી. (આગ્રા)થી બોલાવવામાં આવે છે. આ ટીમ પુતળા બનાવવાની સ્પેશ્યાલીસ્ટ છે આ લોકો રાત-દિવસ જહેમત ઉઠાવીને આ પૂતળાઓ તૈયાર કરે છે. વિ.હિ.પ દ્વારા પણ વર્ષોથી તેમની સેવા લેવામાં આવે છે. સળગી ઉઠી તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. કાર્યક્રમમાાં બધા સહભાગી થાય તે માટે વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઇ રૃપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઇ ચંદારાણા તથા કોષાધ્યક્ષ વિનુભાઇ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવું પ્રચાર પ્રસાર વિભાગના નિતેશભાઇ કથીરીયા જણાવેલ છે.