રાજકોટ
News of Monday, 28th November 2022

દાગીના પવિત્ર કરીને પહેરો તો ખોડીયાર માના દર્શન થશેઃ મહિલા સહિત બે ગઠીયાઓવૃદ્ધાને વિશ્વાસમાં લઇ ૩ લાખના દાગીના લઇ છનન...

બાપા સીતારામ ચોક પાસે બનાવઃ વૃદ્ધા જયાબેન કલકાણીની માલવીયાનગર પોલીસમાં અજાણી મહિલા અને પુરૂષ સામે ફરિયાદ

રાજકોઃ મવડી બાપા સીતારામ ચોક પાસે રીયલ પાઇન ઍપાર્ટમેન્ટ ઍ-૬૦૧ પાર્થભાઇના ફલેટમાં ભાડે રહેતા જયાબેન શંભુભાઇ કલકાણી (ઉ.વ.૬૫) ગઇકાલે બાપા સીતારામ ચોક પાસે ચાલીને જતા હતા ત્યારે ઍક અજાણ્યો પુરૂષ અને ઍક અજાણી મહિલા તેની પાસે આવી ધાર્મિક વાતો કરી વૃદ્ધાને સોનાના દાગીના પવિત્ર કરીને પહેરો તો તમારા કુળદેવી ખોડીયાર માંના હાથમાં દર્શન થશે તેમ વિશ્વાસમાં લઇ સોનાના દાગીના, સોનાની બંગડી ચાર-પાંચ તોલાની તથા સોનાની બુટી સાથે બે વીંટી પવિત્ર કરવા માટે થેલીમાં મુકાવી તથા તે થેલીમાં ઍક મોબાઇલ તથા રૂ.૧૫૦૦ પર્સમાં હતા તે પણ થેલી કુલ રૂ.૩,૦૬,૫૦૦ના દાગીના થેલી મુકાવી વૃદ્ધાને વિશ્વાસમાં લઇ નાસી જઇ છેતરપીંડી આતરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

 

(2:57 pm IST)