સીનીયર ધારાશાષ્ત્રીઓ રાજકોટ બાર એસો.ના હોદ્દાઓ સંભાળી સુકાન હાથમાં લ્યે તેવી લાગણી
રાજકોટઃ ધારાસભાની ચૂંટણીની સાથોસાથ આગામી તા.૧૬ ડિસેમ્બરે રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી જાહેર થતા રાજકોટના એક બહોળા વકીલ વર્ગમાં આ વર્ષે રાજકોટ બાર એસોસીએશનનું સુકાન રાજકોટ બાર એસોસીએશનના વરીષ્ઠ ધારાશાષાીઓ સંભાળે તેવી માંગ ઉઠાવી રહ્યાનું એક યાદીમાં જણાવાયું છે.
રાજકોટ બાર એસોસીએશનએ ધારાશાષાીઓ સ્વ.ચીમનલાલ નાગરદાસ શાહ, સ્વ.સી.એસ.ભીમાણી, સ્વ.શરદભાઈ સોનપાલ, બેરીસ્ટર સ્વ.ચંદ્રકાન્તભાઈ મહેતા, સ્વ.મધુસુદનભાઈ સોનપાલ, સ્વ.ચીમનભાઈ શુકલ, સ્વ.નિરંજનભાઈ દફતરી, સ્વ.મુગટલાલ વોરા, સ્વ.અભયભાઈ ભારદ્વાજ વિગેરે જેવા અનેક ખ્યાતનામ ધારાશાષાીઓ આપ્યા છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં રાજકોટ બાર એસોસીએશનની એક આગવી શાન અને ધાક હતી. છેલ્લા થોડા વર્ષોમાં ધીમે ધીમે ઉપરોકત તમામ ધારાશાષાીઓએ એક પછી એક દુઃખદ વિદાય લેતા અને રાજકોટ બાર એસોસીએશનમાં જૂથવાદ, જ્ઞાતિવાદ અને પક્ષાપક્ષીના રાજકારણને કારણે પોતાની શાન ગુમાવી પડી રહેલ છે. જેનો ગેરલાભ છાસવારે પોતાનું અંગતહિત સાધવા રાજકોટ બાર એસોસીએશનમાં મહત્વના હોદ્દાઓ ઉપર કેટલાક મહાનુભાવો યેનકેન પ્રકારે ગોઠવાઈ જાય છે. તેમ પણ આ યાદીમાં જણાવાયું છે.
આગામી વર્ષે રાજકોટની હાલની કોર્ટનું બંધાઈ રહેલ જામનગર રોડ ઉપર નવા કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર થવાનું હોય તેમજ નવા કોર્ટ બિલ્ડીંગમાં તમામ વકિલોની સંપૂર્ણ સુવિધા જળવાઈ રહે તે માટે થઈને ‘બીનવિવાસ્પદ સીનીયર ધારાશાષાીઓ રાજકોટ બાર એસોસીએશનના તમામ હોદ્દાઓ ઉપર પોતે સુકાન સંભાળે' એવી માંગ રાજકોટ બાર એસોસીએશનના બહોળા પ્રમાણમાં વકીલો ઉઠાવી રહ્યા છે. જયારે અમુક અપવાદરૂપ વકીલો આ બાબતનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે જોવાનું એ રહે છે કે, શું વરિષ્ઠ સીનીયર ધારાશાષાીઓ સમગ્ર વકીલ સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઈ આગળ આવશે કે આ વર્ષની ચૂંટણીમાં પણ જ્ઞાતિવાદી, જૂથવાદ અને આંતરીક ખેંચતાણ છવાયેલ રહેશે? તેમ અંતમાં જણાવાયું છે.