વોર્ડ નં. ૧૦માં ધર્મસ્થાનો-ધંધાના સ્થળો અને મતદારોના ઘરે ઘરે ડો. દર્શિતાબેનનો લોકસંપર્ક
રાજકોટ: રાજકોટ પડ્ઢિમ વિધાનસભા-૬૯ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે તેમના મતવિસ્તાર વોર્ડ નં. ૧૦ના વિવિધ વિસ્તારોનો લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્ક દરમિયાન ડો. દર્શિતાબેન શાહને જનતાનો સાર્વત્રિક આવકાર મળી રહ્ના છે જે તેમની ઐતિહાસિક લીડ સાથે જીતને સુનિડ્ઢિત કરે છે. આ લોકસંપર્ક દરમિયાન ડો. દર્શિતાબેન શાહે કૃષ્ણાશ્રય હવેલીના દર્શનાર્થે જઇને શ્રી અક્ષરયકુમાર ગોસ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ સવેશ્વર મહાદેવ ના દર્શન કર્યા હતા. વોર્ડ નં. ૧૦માં તેઅોઍ મીલાપનગર, શકિતનગર, રામપાર્ક મેઇન રોડ, રોયલ પાર્ક, ઇનોવેટીવ સ્કુલ ચોક, પંચાયતનગર ચોક વગેરે વિસ્તારનો લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્કના કાર્યક્રમમાં ડો. દર્શિતાબેન શાહની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, પરેશભાઇ હુંબલ, પ્રવિણભાઇ મારું, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, સંજયભાઇ, વાઢેર, કોર્પોરેટરો રાજેશ્વરીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, ચેતનભાઇ સુરેજા, અશ્વિનભાઇ ભોરણીયા, વીણાબેન મહેતા, સંગઠનના હોદ્દેદારો કાર્યકરો વગેરે જાડાયા હતા. (૯.૧ર)